ભરૂચની ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં જીવતો વંદો નીકળતા ગ્રાહકે હોટલ માથે લીધી..!
સૂપમાં વંદો નીકળ્યા બાદ હવે ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં જીવતો વંદો જોવા મળતા ચકચાર મચી
ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં મચ્યો ભારે હોબાળો
સલાડમાં જીવતો વંદો જોવા મળતા ગ્રાહકમાં રોષ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાય
ભરૂચ જીલ્લામાં સતત ભોજનની મઝા માણવા જતા લોકોને જમવામાં જીવાતો નીકળતી ઘટનાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ભરૂચના હેલિયોસ પીઝાના સૂપમાં વંદો નીકળ્યા બાદ હવે ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં જીવતો વંદો જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચની ખોડીયાર કાઠિયાવાડી ઢાબામાં પીરસવામાં આવેલ સલાડમાંથી જીવતો વંદો નીકળતા હોબાળો મચ્યો હતો.
સમગ્ર મામલે ગ્રાહકે ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનાના મેનેજર જાણ કરતાં મેનેજરે ગ્રાહક સાથે માથાકૂટ કરી હતી. તો બીજી તરફ, ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા છતાં ઘટનાસ્થળે કોઈ અધિકારી ન આવતા રોષ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ભરૂચની રેસ્ટોરન્ટમાં બનતી આવી ઘટના છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ ચેકીંગ નહીં કરવામાં આવતા આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, મોડે મોડે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાગી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.