રાજ્યના સૌથી મોટા એલિવેટેડ કોરીડોર અને ભાડભૂત બેરેજ યોજના સહિત ભરૂચમાં વિકાસના કામો પ્રગતિ હેઠળ…

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે.

New Update
રાજ્યના સૌથી મોટા એલિવેટેડ કોરીડોર અને ભાડભૂત બેરેજ યોજના સહિત ભરૂચમાં વિકાસના કામો પ્રગતિ હેઠળ…

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાતના બજેટમાં અન્ય જિલ્લાઓની સાથે સાથે ભરૂચ જિલ્લાના વિકાસને લઈ સરકાર દ્વારા મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ઘણાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રૂ. 1,167 કરોડના ખર્ચે ભાડભૂત ગામ નજીક નર્મદા નદી પર બેરેજ યોજનાનું કામ પ્રગતિ હેઠળ છે. તો બીજી તરફ, ભરૂચ અને દહેજને જોડતાં સ્ટેટ હાઇવે નંબર 6 પર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરીડોર નિર્માણ પામી રહ્યો છે. રૂ. 420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરીડોરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બ્રિજ એબીસી ચોકડીથી શરૂ થઈ શેરપુરા ગામ નજીક પૂર્ણ થશે. સ્ટેટ હાઇવે પર આ પ્રકારના પ્રથમ કોરીડોરનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

Latest Stories
    Read the Next Article

    ભરૂચ: અંકલેશ્વરના પિલુદ્રા અને હાંસોટના ખરચ ગામેથી દીપડો પાંજરે પૂરતા હાશકારો

    વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો

    New Update
    Kharach Village
    ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના ગામોમાં દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
    અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે દીપડાની અવરજવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે હજુ પણ દીપડા હોવાથી વનવિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

    તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા.આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
    Latest Stories