કોંગ્રેસના સાંસદ પાસેથી રૂ. 200 કરોડ મળવાના મામલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
કોંગ્રેસના સાંસદ પાસેથી રૂ. 200 કરોડ મળવાના મામલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળતા ભાજપ દ્વારા કોંગ્રેસને અને પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારનો પર્યાય ગણાવી ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ હાથમાં પ્લે-કાર્ડ અને બેનર સાથે મોટી ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.