Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ઐતિહાસિક માંડવ્યેશ્વર મહાદેવ-ક્ષિપ્રા ગણેશ મંદિરે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ, ક્ષિપ્રા ગણેશ અને નર્મદા મંદિર ખાતે પવિત્ર અધિક માસ અને શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર : ઐતિહાસિક માંડવ્યેશ્વર મહાદેવ-ક્ષિપ્રા ગણેશ મંદિરે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...
X

અંકલેશ્વર શહેરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ, ક્ષિપ્રા ગણેશ અને નર્મદા મંદિર ખાતે પવિત્ર અધિક માસ અને શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 18 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી ચાલનારા અધિક શ્રાવણ માસમાં દર સોમવારે રૂદ્ર અભિષેક અને તા. 1 ઓગષ્ટને મંગળવારે ભવ્ય વિષ્ણુયાગનું આયોજન કરવામા આવ્યું છે.

અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત તા. 17 ઓગષ્ટથી શરૂ થનાર મહાદેવજીની ભક્તિમાં લીન થવા માટે શ્રાવણ માસના દર સોમવારે રુદ્ર અભિષેક, તા. 11 સપ્ટેમ્બરે હોમાત્મક લઘુરુદ્ર, અને તા. 26 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશ યાગ તથા તા. 23 ઓકટોબરે નર્મદા મંદિરે આસુ સુદ નોમને દિવસે ચંડી હવન સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે ધર્મપ્રેમી જનતાને ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.

Next Story