નર્મદા: રાજપીપળા નગર પાલિકાની કાર્યવાહી,ફાયર સેફ્ટીમાં બેદરકારી બદલ 3 શાળાઓને સીલ કરાય

New Update
નર્મદા: રાજપીપળા નગર પાલિકાની કાર્યવાહી,ફાયર સેફ્ટીમાં બેદરકારી બદલ 3 શાળાઓને સીલ કરાય

રાજપીપળા નગર પાલિકા દ્વારા શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી અંગેની બેદરકારી બાદ 3 શાળાઓને સીલ કરવામાં આવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો છે.

શાળાઓ ની શરૂઆત થોડા દિવસ પહેલાજ થઈ છે. ત્યારે રાજપીપલા નગરપાલિકાને હવે રહી રહીને શાળાઓ માટે ફાયર સેફટી યાદ આવી છે. રાજપીપલા શહેરની 3 શાળા કે જેણે ફાયર સેફટી સર્ટી નથી લીધું એવી શાળાને પાલિકા દ્વારા સિલ મારવામાં આવી છે.રાજપીપલાની 3 મોટી સ્કૂલ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ, ગવર્મેન્ટ હાઇસ્કૂલને નગરપાલિકા દ્વારા તાળા બંધી કરાય છે. જોકે 3 વખત પાલિકાએ નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ન લેતા કાર્યવાહી કરવામાં આવી છે. જેનાથી હાલ વિધાર્થીઓનું ભણતર અટકી ગયું છે. વળી આગામી 18 તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે. અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.આ અંગે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર એ જણાવ્યું હતું કે અમને સુરત ડિવિઝન તરફથી સૂચના મળી હતી અને બાળકોની સલમતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે નવદુર્ગા શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું કે અમે ફાયર સેફટીના પુરા નિયમોનું પાલન કર્યું છે પરંતુ એને માટે જરૂરી પેપર ની પૂરતી થઈ નથી જોકે અમે પેપર સબમિટ કરાવવા તૈયાર છે છતાં વિદ્યાર્થીઓ ના ભણતર ને બગાડી નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે જે દુઃખદ છે સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફાયર એન.ઓસી.ની.કાર્યવાહી તાત્કાલિક કરવી જોઈએ.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories