હવે... વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા આવશે સુખદ નિરાકરણ...

વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે,

New Update
હવે... વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા આવશે સુખદ નિરાકરણ...

નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહીક લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી છે, ત્યારે હવે વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવશે.

વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે, ત્યારે વૈવાહિક લોક અદાલતની અંકલેશ્વર કોર્ટના જજ ડી.બી.તિવારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તારીખ 19 એપ્રિલ 2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહીક પ્રીલીટીગેશન લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપુર્ણ રીતે નિકાલ લાવી શકશે. આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, નારીગૃહ, નારી અદાલત, સખી વન સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરીયાદ પેટીઓ મુકવામાં આવી છે. જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે. જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 8થી 10 વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલના મિડીએશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મિડીએટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહીક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે. આ લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તા. 4 મેં 2024ના શનિવારના રોજ યોજાશે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)