ભરૂચમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદનું આગમન,વાતાવરણમાં ઠંડકનો અનુભવ

ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો

New Update
ભરૂચમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદનું આગમન,વાતાવરણમાં ઠંડકનો અનુભવ

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો હતો તો બીજી તરફ ખેડૂતો તેમના ખેતરમાં સાફ સફાઈ કરી નવી સીઝનમા જોતરાઇ ગયા છે .

આ વર્ષે હવામાનના વિભાગ દ્વારા ચારેય મહિના વરસાદ હોવાની માહિતી આપતાની સાથે જ ધરતીપુત્રોમાં આશાનું કિરણ ઉઠયું છે હવે એક વરસાદ સારો પડશે ત્યારે ખેડૂતો તેમના ખેતરમાં પાકોની વાવણી ની શરૂઆત કરવા તત્પર બન્યા છે અને હવામાનની આગાહી સાચી પડે અને જિલ્લાભરમાં સારો વરસાદ થાય તે આશા સેવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.