ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM દ્વારા યોજાયેલ SSC મોડેલ એકઝામ-2024નું પરિણામ જાહેર કરાયું…

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM દ્વારા યોજાયેલ SSC મોડેલ એકઝામ-2024નું પરિણામ જાહેર કરાયું…

ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM-વડોદરાના સંયુકત ઉપક્રમે SSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એકઝામ-2024નું પરિણામ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM-વડોદરાના સંયુકત ઉપક્રમે યોજાયેલ SSC બોર્ડના મોડેલ એકઝામ-2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ એકેડેમી એસોસિયેશનના ઉપપ્રમુખ મિનેશ રાણા, સભ્યો, ITM-વડોદરાના ચીફ ઓફ માર્કેટિંગ ડો. તાપશ દુબે, ડીન ડોક્ટર હિમાની પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પરિણામ મેળવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટમાં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરિક્ષામાં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતાં પ્રણવ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે, તથા વાલીઓ પણ બાળકો પર પરિક્ષા માટે કોઈપણ દબાણ ન આપે. શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલેએ એસોસિએશનની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી હતી, અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, હેમા પટેલ, પ્રમુખ ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી સહયોગી સેવા આપી હતી.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.