અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે ફરી વીજકાપ, આટલા ક્લાક વીજ પુરવઠો ખોરવાશે

New Update
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે ફરી વીજકાપ, આટલા ક્લાક વીજ પુરવઠો ખોરવાશે

આવતીકાલે તા.૨૯.૦૪.૨૦૨૪ ના સોમવાર ના રોજ દ.ગુ.વિ.કં.લી. દ્વારા ૨૨કેવી સ્ટેશન રોડ ફીડર નં.૯ અને ૨૨કેવી બાપુનગર ફીડર નં.૧૨ નું મેન્ટેનન્સ હોવાથી,તીર્થનગર, નવરંગ સોસાયટી વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી , અક્ષર બંગલોઝ, મુક્તિ ધામ, શ્રીરામ નગર , હરિનગર બંગલોઝ, ભદૃલોક સોસાયટી, નિરાંત નગર વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર, ગજાનંદ સોસાયટી, શીવ દર્શન, રવિ દર્શન, હનુમાન વાડી વિસ્તાર, કમલપાર્ક, મોબિન પાર્ક, ગુલનાર, ભાગયોદય સોસાયટી વિસ્તાર, સરગમ કોમ્પલેક્ષ, આમ્રપાલી, નવી નગરી, આઈ.ટી.આઈ. ત્રણ રસ્તા થી સ્ટેશન રોડ તથા પિરામણનાકા વિસ્તાર, ટાંકી ફળિયા વિસ્તાર, સંજયનગર, મમતા હોસ્પિટલ વિસ્તારમાં મા વીજપુરવઠો સવારે ૬:૩૦ વાગ્યા થી ૧૦:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે જેની નોંધ લેવા વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યુ છે

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.