વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો આંધ્રપ્રદેશનો યુવાન ભરૂચમાં કરાયું સ્વાગત

આંધ્રપ્રદેશનો યુવાન વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો

New Update
વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો આંધ્રપ્રદેશનો યુવાન ભરૂચમાં કરાયું સ્વાગત

આંધ્રપ્રદેશનો યુવાન વિશ્વને સુસાઇડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો હતો ત્યારે 145માં દિવસે ભરૂચ ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો ડિપ્રેશન ચિંતા તથા શિક્ષણની તથા લગ્નજીવનમાં નહીં જેવી બાબતે પણ આપઘાત કરી લેતા હોય છે અને લોકોને આપઘાત ન કરવા તથા આપઘાત કરવો તે કોઈ પણ વાતનું સમાધાન નથી તેવા જનજાગૃતિના સંદેશા સાથે આંધ્રપ્રદેશનો યુવાન ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો છે.

જેમાં ૧૪૫માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવા સાથે તેણે પોતાની યાત્રા જંબુસર તરફના કાવી કંબોઇ તરફના રૂટ ઉપર આગળ ધપાવી હતી. વિશ્વમાં રોજના હજારો લોકો કોઈપણ ચિંતામાં અથવા તો નહીં જેવી બાબતે તેમજ લગ્નજીવનમાં નહીં જેવી બાબતે શિક્ષણના ટેન્શનમાં રોજગારીની ચિંતામાં અને કોઈને કોઈ વાતે લોકો જીવનનો અંત લાવતા હોય છે પરંતુ જીવનો અંત તે વાતનું સમાધાન નથી તેવા ઉદ્દેશ સાથે આંધ્ર પ્રદેશનો યુવાન વૈકંટ કાર્તિક આંધ્ર પ્રદેશમાંથી ફેબ્રુઆરી ૨૦૨૨થી યાત્રાનો પ્રારંભ કર્યો હતો

વિવિધ રાજ્યોમાં જેવા કે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પ્રવેશતા સુરત કોસંબા, કીમ, અંકલેશ્વર થઈ ૧૪૫માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર આવેલી આકાશગંગા સોસાયટીમાં યાત્રિક તેના મિત્રના ઘરે એક રાત્રીનું રોકાણ કર્યા બાદ પોતાની યાત્રાને જંબુસરના કાવી કંબોઇ તરફ આગળ ધપાવી હતી. જ્યાં સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી વડોદરામાં પોતાની બહેન પાસે રાખડી બંધાવી પોતાની યાત્રાને આગળ ધપાવનાર છે.

Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

New Update
  • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

  • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

  • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

  • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.