Connect Gujarat
Featured

ભાવનગર : ટીકા મહોત્સવ અંતર્ગત 2 હજારથી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાઇ, રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા

ભાવનગર : ટીકા મહોત્સવ અંતર્ગત 2 હજારથી વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાઇ, રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ટીકા ઉત્સવ મનાવવા કરેલી હાકલને પગલે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો ઉપર ગત રવિવારે પણ કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત કરવા રસીકરણ અભિયાન ચાલું રાખવામાં આવ્યું હતું.

વડાપ્રધાનએ દેશવાસીઓને આપેલા સંદેશ “ઇચ વન-વેક્સીનેટ વન, ઇચ વન-ટ્રીટ વન, ઇચ વન–સેવ વન” થકી રસીકરણને વધુ વ્યાપક બનાવવા અપીલ કરી હતી. તેનો અસરકારક અમલ ભાવનગરમાં કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનએ તા. 11થી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં કોરોનાના રસીકરણ માટે કરેલી હાકલનો પ્રતિસાદ આપતાં મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલના સમયોચિત આયોજન અને સક્રિય દેખરેખ અને નિગરાની હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આજરોજ 45 વર્ષથી ઉપરના 2 હજારથી પણ વધુ લોકોને કોરોના સામેની રસી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જન પ્રતિનિધિઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.

ભાવનગર નગરપાલિકા વિસ્તારમાં 68,492 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાંથી 32,005 વ્યક્તિઓ 45 વર્ષથી વધુ વય ધરાવતાનો સમાવેશ થાય છે. જ્યારે 4,557 વ્યક્તિને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કુલ 1,12,738 નાગરિકોને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,99,009 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાંથી 73,005 વ્યક્તિઓ 45 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે 17,156 વ્યક્તિઓને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કુલ 2,16,165 નાગરિકોને કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મળી અત્યાર સુધીમાં કુલ 3.28 લાખ કરતાં પણ વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપી કોરોના સામે સંરક્ષિત કરવામાં આવેલ છે.

Next Story