Connect Gujarat
બ્લોગ

ભાવનગર : ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે થયા બ્રહ્મલીન, હરિદ્વારમાં કરાશે અંતિમવિધિ

મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

X

ભાવનગર શહેરના મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે. ગોહિલવાડમાં બજરંગદાસ બાપા, મસ્તરામ બાપા, મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું યોગદાન રહ્યું છે, ત્યારે ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસ બાપા ગત રાત્રીના 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. 62 વર્ષ કરતા વધુ સમયથી સેવા કરતા અને "રામજી કી ઈચ્છા સે" વાક્યને જીવનમંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શીખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદનમોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે. ગૌસેવા પરમોધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનારા આ મહંતની ગૌશાળામાં આજે પણ 1100થી વધુ ગાય છે. તેમજ તહેવારોમાં ગાયને ઓરમું, લાડવા, માલપુવાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ભૂકંપ, વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા આ મહંત બ્રહ્મલીન થતાં ભક્તોનું ઘોડાપુર અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું હતું. આજે વહેલી સવારે 7થી 10 કલાકમાં બાપાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા, જ્યારે બાપાની અંતિમવિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે. જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Next Story