એર ઈન્ડિયાએ જાહેર કર્યો નવો લોગો, ડિસેમ્બર 2023 સુધીમાં વિમાનો પર જોવા મળશે…..
એર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી.
એર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી. એ અશોક ચક્રથી પ્રેરિત જૂના લોગોનું સ્થાન લેશે. નવા લોગોમાં ગોલ્ડન, રેડ અને પર્પલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું, 'આ લોગો અમર્યાદિત શક્યતાઓનું અને ભવિષ્ય માટે એરલાઇનના બોલ્ડ, કોન્ફિડન્ટ આઉટલુક દર્શાવે છે. આ લોગો ફ્યુચર બ્રાન્ડ્સ, લંડન સ્થિત બ્રાન્ડ અને ડિઝાઇન કન્સલ્ટન્સી ફર્મ સાથે ભાગીદારીમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 ડિસેમ્બર 2023માં નવા લોગો અને મેકઓવર સાથે જોડાશે. ફ્યુચર બ્રાન્ડ્સે અમેરિકન એરલાઇન્સ અને બ્રિટિશ લક્ઝરી ઓટોમોબાઇલ બ્રાન્ડ બેન્ટલી સાથે બ્રાન્ડિંગ પર કામ કર્યું છે.
એર ઈન્ડિયાના નવનિર્માણ સંબંધિત 5 મોટી બાબત:
1. નવા લોગોમાં ગોલ્ડ વિન્ડો ફ્રેમ સામેલ કરવામાં આવી છે
નવા એર ઈન્ડિયાના ઘેરા લાલ અક્ષરો જાળવી રાખે છે, પરંતુ ફોન્ટ અલગ છે. આમાં ગોલ્ડ વિન્ડો ફ્રેમ સામેલ કરવામાં આવી છે. એરલાઈને કહ્યું, 'લોગો અમર્યાદિત શક્યતાઓને પ્રતિબિંબિત કરે છે અને ભવિષ્ય માટે એરલાઈન્સનો બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ આઉટલુક દર્શાવે છે.'
2. મહારાજા બ્રાન્ડનો એક ભાગ બનવાનું ચાલુ રાખશે
એર ઈન્ડિયાની ઓળખ તેના મહારાજા મેસ્ક્ટ રહી છે. એ 1946માં ડિઝાઇન કરવામાં આવી હતી. એર ઈન્ડિયાના તત્કાલીન કોમર્શિયલ ડિરેક્ટર બોબી કુકા અને એડવર્ટાઈઝિંગ એજન્સી જે. વોલ્ટર થોમ્પસનના આર્ટિસ્ટ ઉમેશ રાવ દ્વારા બ્રાન્ડ આઈકોન બનાવવામાં આવ્યો હતો. બાદમાં એમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને કહ્યું- મહારાજા હવે મુખ્યત્વે એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં જોવા મળશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે મહારાજા મેસ્કટ આંતરરાષ્ટ્રીય ગ્રાહક આધાર સાથે વધુ સંબંધિત નથી. મહારાજાનો ઉપયોગ પ્રીમિયમ વર્ગ માટે કરવામાં આવશે.