કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની દવાઓના ભાવમાં રાહત આપવાનો કર્યો નિર્ણય

New Update
કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની દવાઓના ભાવમાં રાહત આપવાનો કર્યો નિર્ણય

ભારત સરકારે અમુક રોગોની સારવારમાં વપરાતી દવાઓના ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટીબાયોટીક્સની કિંમતો નક્કી કરવામાં આવી છે, જેના કારણે 41 દવાઓ સસ્તી થશે અને તમારે આ દવાઓ માટે ઓછો ખર્ચ કરવો પડશે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NPPAની 143મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. NPPA એ એક સરકારી નિયમનકારી એજન્સી છે જે ભારતમાં ફાર્માસ્યુટિકલ દવાઓના ભાવને નિયંત્રિત કરે છે.

સામાન્ય રીતે, ચેપ અને એલર્જી સિવાય, આ મલ્ટીવિટામિન્સ અને એન્ટિબાયોટિક્સની કિંમતો ઉંચી હોય છે જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ ઊંચો થઈ જાય છે. આથી સામાન્ય લોકોને આ 41 દવાઓ સસ્તી થવાથી રાહત મળશે.

Latest Stories