છોટાઉદેપુર: કુંડલ ગામમાં નળ તો બેસાડાયા પણ પાણી જ નથી મળતું, જુઓ શું છે પરિસ્થિતી

New Update
છોટાઉદેપુર: કુંડલ ગામમાં નળ તો બેસાડાયા પણ પાણી જ નથી મળતું, જુઓ શું છે પરિસ્થિતી

ઉનાળાની શરૂઆત થતા જ પાણી પાણી ની બુમરાણ મચે છે અને તેમાય ખાસ કરીને ડુંગર અને જંગલ વિસ્તારના ગામોમાં ના રહીશો તો કપરી સ્થિતીમાં મુકાય જાય છે છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાનાં કુંડલ ગામમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

પાવી જેતપુર તાલુકાનું કુંડલ ગામ કે જે ગામની વસ્તી 2500ની આસપાસની છે।  ગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલૂ છે .આ વિસ્તારના લોકો વર્ષોથી ઉનાળાની શરૂઆત થાય કે પીવાના પાણી માટે વલખાં મારે છે . લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં અનેક યોજના દ્રારા પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા કરી આપી પણ એક પણ યોજના ને લઈ ગામ ના લોકો ને પાણી નથી મળી રહ્યું તેવા આક્ષેપ ગામ ના લોકો કરી રહ્યા છે . વર્ષો પહેલા સુખી યોજના દ્રારા પાઇપ લાઈનો નાખી , સરકારી કૂવા બનાવવા માં આવ્યા  ત્યાર બાદ પાણી પુરવઠા યોજના દ્રારા ટાંકી બનાવી , અને હવે વાસમો યોજના દ્રારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો બેસાડી આપવા માં આવ્યા પણ ટીપું પાણી ગામ ના લોકો ને મળ્યું નથી . જે કોન્ટ્રાકટર ને કામ સોપવા માં આવ્યું હતું તે કામ અધૂરું છોડી ને જતો  રહ્યો હોવા નું ગામ ના લોકો નું કહેવું છે. ગામની મહિલાઓને પાણી ન મળતા દૂર સુધી પાણી મેળવવા ભટકવું  પડે છે . વિસ્તાર ડુંગર અને જંગલ વિસ્તાર હોય જંગલી જાનવરો નો પણ ડર હોય છે જેથી પુરુષોને પણ સાથે જવાનો વારો આવે છે . જેમાં વૃદ્ધો અને બાળકો ને પણ જોડાવું પડે છે . જેમાં અભ્યાસ કરતી વિધ્યાર્થિની ઓનો  અભ્યાસ પણ બગડે છે

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.