/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/06/08204202/corona-1q.jpg)
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના 804 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,43,459 પર પહોંચી છે.સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4295 થયો છે.
રાજ્યમાં હાલ 10021 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,29,143 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 9958 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં 804 નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 163, સુરત કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 67, સુરત 36, વડોદરા 29, દાહોદ 28, રાજકોટ 24, કચ્છ 23, મહેસાણા 21, ભરૂચ 18, પંચમહાલ 18, ખેડા 15 અને ગાંધીનગર 13 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 7 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 1, બોટાદ 1, સુરત 1 અને સુરત કોર્પોરેશનમાં-1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં આજે કુલ 999 દર્દી સાજા થયા હતા અને 53,389 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 95,43,400 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.12 ટકા છે.