કોવિડ-19 : રાજ્યમાં આજે વધુ 1311 નવા કેસ નોંધાયા,16 દર્દીના મોત

New Update
અમદાવાદ : 94થી વધુ રાજકીય આગેવાનો કોરોનાની ઝપેટમાં, રાજકીય મેળાવડાઓ છે કારણભુત

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે કોરોનાના વધુ 1311 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને વધુ 16 દર્દીઓના મોત થયા. જ્યારે 1148 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.અને કુલ મૃત્યુઆંક 3094 થયો છે.

રાજ્યમાં આજે 1311 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 185, અમદાવાદ કોર્પોરેશનમાં 151, જામનગર કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, સુરતમાં 92, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટમાં 46, વડોદરામાં 37, પંચમહાલમાં 33, બનાસકાંઠામાં 32, અમરેલી અને મોરબીમાં 28-28, ભાવનગર કોર્પોરેશનમાં 27, ભરૂચમાં 25, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 20-20, ગાંધીનગર કોર્પોરેશન અને સાબરકાંઢામાં 19-19, મહેસાણામાં 18 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 16 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1, અન્ય રાજ્ય 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 16,366 એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.રાજ્યમાં સાજા થવાનો દર 82.11 ટકા છે.


Latest Stories