રાજયના 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લદાયો કરફયુ

New Update
રાજયના 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લદાયો કરફયુ

ગુજરાતમાં વધી રહેલાં કોરોનાના કેસના કારણે હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસ માટે સંપુર્ણ લોકડાઉન કરવા માટે રાજય સરકારને તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ચાલેલી મેરેથોન બેઠક બાદ રાજયના 20 શહેરોમાં રાત્રિ કરફયુ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મીક, રાજકીય અને સામાજીક કાર્યક્રમો ઉપર પણ કેટલાક પ્રતિબંધો ફરમાવી દેવાયાં છે.



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો હતો. મંગળવારના રોજ રેકોર્ડબ્રેક કહી શકાય તેટલાં 3000 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાયાં હતાં. મંગળવારની સવારથી ગુજરાત હાઇકોર્ટે રાજયમાં સંપુર્ણ લોકડાઉન માટેની ટકોર કરતાં ચારે તરફ લોકડાઉન અંગે ચર્ચાઓ શરૂ થઇ ચુકી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સરકાર એકશનમાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાંજના સમયે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ, કેબીનેટ મંત્રીઓ તથા ગુજરાત હાઇકોર્ટના એજી કમલ ત્રિવેદી હાજર રહયાં હતાં. ત્રણ કલાકથી પણ વધારે સમય ચાલેલી બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવાયાં હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારે લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી. જેમાં રાજયના 20 શહેરોમાં રાત્રિ કરફયુ અમલી બનાવાયો છે. આવતીકાલે ( બુધવાર)થી કરફયુનો અમલ કરાવવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાત્રિ કરફયુ અમલમાં આવ્યો છે. આ તમામ શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકશે નહિ. સરકારના નવા નિર્ણયો સંદર્ભમાં આવતીકાલે બુધવારના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories