દાહોદ : દાઉદી વ્હોરા સમાજે ધર્મગુરૂ બુરહાદનઉદીન સાહેબના જન્મદિવસની કરી ઉજવણી

New Update
દાહોદ : દાઉદી વ્હોરા સમાજે ધર્મગુરૂ બુરહાદનઉદીન સાહેબના જન્મદિવસની કરી ઉજવણી

દાહોદ શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્રારા

ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનઉદ્દીન સાહેબની વર્ષગાંઠ અને ડૉ.સૈયદના મુફદ્દલ

સેફુદ્દીન સાહેબની 76 મી મિલાદની હર્ષોલ્લાષ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 

દાહોદ શહેરમાં દાઉદી વહોરા સમાજ દ્વારા

તેમના ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનઉદ્દીન સાહેબની 109 મી વર્ષ ગાંઠ અને

ડૉ.સૈયદના મુફદલ સેફુદ્દીન સાહેબની 76 મી મિલાદની ઉજવણીના ભાગરૂપે દાહોદના

સ્ટેશન રોડ ખાતે આવેલી બુરહાની સોસાયટીમાંથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ

જુલુસમાં હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો અને બાળકો જોડાયા હતા અને

સમાજના જ દાઉદી વહોરા કોમની અલગ અલગ બેન્ડની કંપનીઓ દ્રારા મધુર સુરાવલીઓ

રેલાવવામાં આવી હતી ખૂબ ઉમંગભેર જુલુસ કાઢી અરસપરસ શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories