સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ, મોટી સંખ્યમાં ભાજપના કાર્યકરો જોડાયા

ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો જેમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આરતીમાં જોડાયા

New Update
  • સોમનાથમાં યોજાયો કાર્યક્રમ

  • ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન

  • નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જોડાયા

  • ભાજપના કાર્યકરોએ પણ આપી હાજરી

  • બ્રહ્મ સમાજના આગેવાનો પણ જોડાયા

Advertisment
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો જેમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આરતીમાં જોડાયા હતા.
સોમનાથ પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર આયોજિત સંધ્યા આરતીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. સંજય પરમાર અને પાર્ટી કાર્યકરોએ ભાગ લીધો હતો. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે બનારસની ગંગા આરતી જેવો દિવ્ય આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.
ડૉ. સંજય પરમારે જણાવ્યું કે આ દિવ્ય આરતીનો લ્હાવો લઈને તેઓ ધન્યતા અનુભવી છે. તેમણે સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા માટે વધુમાં વધુ લોકોને આરતીમાં જોડાવા અનુરોધ કર્યો.કાર્યક્રમમાં સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના અધ્યક્ષ હેમલ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભૂદેવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

ઉત્તરાખંડ: કૈંચી ધામમાં ભક્તો નીમ કરોલી બાબાને ધાબળા કેમ ચઢાવે છે? જાણો તેના વિશે

નીમ કરોલી બાબા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલા શરીર પર ફક્ત ધોતી પહેરતા હતા અને પોતાને ધાબળોથી ઢાંકતા હતા. બાબાના ચમત્કારોમાં તેમના ધાબળાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

New Update
NIM KAROLI BABA

ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત બાબા નીમ કરોલીનું કૈંચી ધામ આજકાલ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. દેશ-વિદેશથી લાખો લોકો બાબા નીમ કરોલીના દર્શન કરવા માટે તેમના આશ્રમમાં આવે છે. નીમ કરોલી બાબા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલા શરીર પર ફક્ત ધોતી પહેરતા હતા અને પોતાને ધાબળથી ઢાંકતા હતા. બાબાના ચમત્કારોમાં તેમના ધાબળાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

Advertisment

બાબા નીમ કરોલીના ધાબળાના ચમત્કારનો ઉલ્લેખ તેમના જીવનચરિત્ર અને ઘણા પુસ્તકોમાં જોવા મળે છે. આ કારણોસર, ઘણા લોકો તેમને ધાબળાના બાબા પણ કહે છે. કૈંચી ધામના પૂજારી કહે છે કે જો ઘરમાં કોઈ બીમાર હોય, તો તેણે ભક્તિભાવથી બાબાને ધાબળો ચઢાવવો જોઈએ. આમ કરવાથી દર્દીને રોગમાંથી રાહત મળે છે. 

ધાબળો ચઢાવ્યા પછી, ભક્તો તેને ઘરના કોઈ પવિત્ર સ્થળે રાખે છે.નીમ કરોલી બાબાનો ધાબળો આજે પણ લાખો લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. લોકો બાબા વિશે કહે છે કે તેઓ પોતાના ધાબળાથી ઘણા ચમત્કારો બતાવતા હતા. આજે હજારો લોકો દરરોજ બાબાના દર્શન માટે નીમ કરોલી ધામ આવે છે. સામાન્ય લોકોની સાથે, મોટી હસ્તીઓ પણ બાબાના દર્શન માટે કૈંચી ધામ આવે છે.

Advertisment