અંકલેશ્વર: ગુરુ આશ્રમમાં પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી

New Update
અંકલેશ્વર ગુરુપૂર્ણિમા એ ભક્તિમય રંગમાં રંગાયું
રામકુંડ તીર્થ,કબીર આશ્રમ સહિત ભાથીજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી 
ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તન ની બોલાવી રમઝટ
ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી
મહાપ્રસાદીનો લ્હાવો લઈને ભક્તો થયા તરબોળ
અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ થી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ, દિવા ભાથીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી.જ્યારેએ ભક્તોએ મહાપ્રસાદી નો લ્હાવો લીધો હતો.તો બીજી તરફ પંચાતી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજી ની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના દિવા ગામે ભાથીજી મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી,ત્યારે આ ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ,મહામંત્રી જીગ્નેશ અંદાડિયા સહિતના આગેવાનોએ ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Latest Stories