અંકલેશ્વર: સિદ્ધરુદ્ર બ્રહ્મસમાજ ભવનમાં ભગવાન સ્વામીનારાયણને માનસરોવરના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું .

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવી ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે.

વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે. ત્યારે ચાતુર્માસ નિમિત્તે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો લાભ લઈ સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.