અંકલેશ્વર: સિદ્ધરુદ્ર બ્રહ્મસમાજ ભવનમાં ભગવાન સ્વામીનારાયણને માનસરોવરના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું .

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવી ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે.

વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે. ત્યારે ચાતુર્માસ નિમિત્તે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો લાભ લઈ સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)