Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15મા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનો પાટોત્સવ 15મા પાટોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરાય મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

X

ભરૂચની જૂની મામલતદાર ઓફિસ સામે આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15મા પાટોત્સવની ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત હજારો ભક્તોના આસ્થાના કેન્દ્રસમા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણી સહિતના ભક્તોએ સંકટ મોચન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story