ભરૂચ : માઁ દશામાના વ્રતનો માઈભક્તોમાં અનેરો ઉત્સાહ, અયોધ્યા રામ મંદિર સાથેની પ્રતિમાએ જગાવ્યું ભારે આકર્ષણ...

દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે

New Update

માઁ દશામાના વ્રતનો માઈભક્તોમાં અનેરો મહિમા

અયોધ્યા મંદિર સાથેની પ્રતિમાનું ભારે આકર્ષણ

શણગાર સાથેની મનમોહક મૂર્તિઓ વેંચાણ શરૂ

મૂર્તિના ભાવમાં 5થી 7 ટકાનો થયો ભાવ વધારો

મોંઘવારી છતાં વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ

આગામી દીવાસાના દિવસથી માઁ દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લાભરના માઈભક્તોમાં મોંઘવારી હોવા છતાં દશામા વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દશામાના વ્રત શરૂ થવાને આડે હવે ચારેક દિવસ બાકી છેત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રીરામ મંદિરની સાથેની મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છેત્યારે આર્થિક તેમજ સામાજીક રીતે દશા સુધરે તે માટે લોકો 10 દિવસ ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે.

દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છેત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહક્લેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવુ જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે.

ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશામા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે. ભરૂચના ધોળીકુઇ બજારશક્તિનાથઝાડેશ્વર રોડ વિગેરે વિસ્તારોમાં દશામા મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છેજ્યાં 1 ફૂટથી લઇ 56 ફૂટની અને રૂ. 150થી લઇ 5 હજાર સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહે છે.

વેપારીઓના જણાવ્યા અનુસારપ્રતિમાની કિંમતમાં પણ 5થી 7 ટકાનો ભાવ વધારો થયો છે. જોકેઆ વર્ષે અયોધ્યા શ્રીરામ મંદિર સાથેની પ્રતિમાએ માઈભક્તોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. દશામાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે ભક્તો લઈ જતા હોય છેત્યારે છેલ્લા 2-3 દિવસ ભરૂચ શહેર તથા જીલ્લાના બજારોમાં માઈભક્તોનીભારે અવર જવર જોવા મળશે.

Read the Next Article

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે

New Update
  • શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ

  • નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ

  • નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ

  • વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર

  • મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા  

દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.