ભરૂચ : દહેજના નવાવાડીયા ખાતે નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો...

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના આગેવાનો, ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો

New Update
Shri Khimdi Mataji

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ સ્થિત નવાવાડીયા ખાતે નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.

Advertisment

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ સ્થિત નવાવાડીયા ખાતે ગત તા. 14મી એપ્રિલ-2025સોમવારના રોજ નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે 8:00 કલાકથી નવચંડી યજ્ઞ પૂજાનો પ્રારંભ થયો હતો. આ સાથે જ સાંજે 4 કલાકે શ્રીફળ હવનમહાઆરતી તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આહીર સમાજ ભરૂચ

ઉપરાંત રાત્રે માતાજીના જાગરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના આગેવાનોભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

Advertisment
Latest Stories