ભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજી દાદાનો પ્રાગટ્ય દિવસ

  • હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

  • નીલકંઠેશ્વર મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

  • પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદીનું વિશેષ આયોજન

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કેહનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી આવી રહી છેત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ-બહેનો તેમજ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.