ભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજી દાદાનો પ્રાગટ્ય દિવસ

  • હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

  • નીલકંઠેશ્વર મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

  • પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદીનું વિશેષ આયોજન

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

Advertisment W3.CSS

 ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

 આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કેહનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી આવી રહી છેત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચનમહાઆરતીમહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ-બહેનો તેમજ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વની ધર્મભીની ઉજવણી,મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહ્યા ઉપસ્થિત

શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી

New Update
  • ગીર સોમનાથમાં ગંગાદશેરા પર્વની ઉજવણી

  • હિરણ,કપિલા,અને સરસ્વતી નદીઓનો થાય છે સંગમ

  • ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યું હતું તર્પણ

  • મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લીધો ધર્મભીનો લ્હાવો  

Advertisment W3.CSS

ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વ નિમિત્તે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણકપિલાઅને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. 

ત્યારબાદ સંધ્યા મહાઆરતી યોજાઇ હતી.જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટ પરિવારસ્થાનિક તીર્થ પૂરોહિતો સહિત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માતાની સુંદર આરતી કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયઅધિક કલેકટર રાજેશ આલ સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.