New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
પૌરાણિક ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની ઉજવણી
13મા પાટોત્સવની ઉજવણી કરાય
ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે 13મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરના 8માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ શ્રી ક્ષિપ્રા ગણેશ 32 મુદ્રાઓ પૈકીની એક છે. ક્ષિપ્રા એટલે તુરંત ફળ આપનાર. ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ નવમું અને ગુજરાતનું સૌ પ્રથમ મંદિર છે જે મંદિરના 13 માં પાટોત્સવની આજરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ સાથે જ આ પરિસરમાં આવેલ નર્મદા માતાજી મંદિરનો પણ આઠમો પાટોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે ગણેશયાગ શ્રીફળ હવન મહાઆરતી તથા ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભરુચ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.
Latest Stories