Connect Gujarat
ધર્મ દર્શન 

પોષ અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો તેનું મહત્વ...

હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું મહત્વ છે. દર મહિને અમાસ કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિના બીજા દિવસે આવે છે.

પોષ અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો તેનું મહત્વ...
X

હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું મહત્વ છે. દર મહિને અમાસ કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિના બીજા દિવસે આવે છે. આ વખતે વર્ષ 2024ની પ્રથમ અમાસ આજે એટ્લે કે 11 જાન્યુઆરીના છે. એક ધાર્મિક માન્યતા છે કે અમાસના અવસર પર ભગવાન વિષ્ણુ, સૂર્ય ભગવાન અને મહાદેવની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. તેમજ પિંડ દાન અને પિતૃઓને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર, આ દિવસે કેટલાક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે, જેને કરવાથી સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને મહાદેવ ક્રોધિત થાય છે.તો ચાલો જાણીએ કે પોષ અમાસના દિવસે કોઈ પણ કામ કરવાનું ટાળવું જોઈએ.

પોષ અમાસના દિવસે આ કામ ન કરો :-

- પોષ અમાસની રાત્રે એકલા બહાર ન જવું જોઈએ. માન્યતા અનુસાર અમાસને સૌથી કાળી રાત માનવામાં આવે છે.

- જો આ દિવસે રાત્રે બહાર જવાનું ખૂબ જ જરૂરી હોય તો ઘરની બહાર નીકળતા પહેલા ચંદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરો. ભગવાનનું પણ સ્મરણ કરતા રહો.

- આ દિવસે તામસિક ખોરાક (માંસ, માછલી, ઈંડા, લસણ અને ડુંગળી)નું સેવન ન કરવું જોઈએ.

- પોષ અમાસના દિવસે કોઈનું અપમાન ન કરવું.

- આ દિવસે સવારે મોડે સુધી સૂવું ન જોઈએ. લાંબા સમય સુધી સૂવાથી વ્યક્તિને અશુભ પરિણામ મળે છે.

- કોઈપણ પ્રકારની લડાઈ ટાળવી જોઈએ.

- પોષ અમાસના દિવસે ભૂલથી પણ તુલસીના પણ ન તોડવા.આ દિવસે એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને ભગવાનને અર્પણ કરવા માટે રાખો.

- આ દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરવું.

પોષ અમાસનું મહત્વ :-

પિતૃ તર્પણ પોષ અમાસ નિમિત્તે કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જે લોકો કાલ સર્પ દોષનો સામનો કરી રહ્યા છે તેઓ અમાસના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Next Story