દુંદાળા દેવની આરાધનાના પર્વ “ગણેશ મહોત્સવ”નો આજથી પ્રારંભ, ભરૂચ-અંકલેશ્વરમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય

ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો......

Ganesh Utsav 2024
New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ

ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય

વિઘ્નહર્તા 10 દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણશે

સતત 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

10 દિવસ બાદ કરવામાં આવશે વિઘ્નહર્તાનું વિસર્જન

વિધ્નહર્તાની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

ભરૂચ શહેર તથા જીલ્લામાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છેત્યારે શુભ મુર્હતમાં ભરૂચ શહેર તથા જીલ્લામાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી

જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતુંત્યારે 10 દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશેઅને 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ શ્રીજીની આરાધનામાં લીન બનશે. આ સાથે જ અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.

 

#ગણેશ મહોત્સવ #ગણેશોત્સવ #Bappa Morya #Ganesh Utsav #શ્રીજીની પ્રતિમા #ગણેશ ચતુર્થી #ગણેશ ઉત્સવ #ઈકો ફ્રેન્ડલી ગણેશજી #Ganpati Bappa Morya #Bharuch Ganesh Utsav
Here are a few more articles:
Read the Next Article