વડોદરા : ગણેશજીની આગમન યાત્રા દરમ્યાન સર્જાયા નાસભાગના દ્રશ્યો, પોલીસે મામલો થાળે પાડ્યો.
પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાતા યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.