/connect-gujarat/media/post_banners/b0826c83aa12af655895205fc7fddfc167c5c73b2f3e0852cd0b9170abb4c027.jpg)
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે. જે વાતને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારે ભાવિકો ઉમટશે.જેમાં સોમનાથ મંદિરમાં પ્રવેશની સાથે મંદિર બહાર નીકળવા સુધીની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં દરેક યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા કરાય છે સાથે સોમનાથમાં 400 થી વધુ રૂમની વ્યવસ્થા છે એક ડોરમેટરી છે જેમાં ફક્ત ૯૦ રૂપિયામાં પર વ્યક્તિ 24 કલાક રહી શકે તેવી વ્યવસ્થા છે. આવી બીજી ડોરમેટરી પણ શ્રાવણ માસમાં કાર્યરત કરાશે.સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સમગ્ર તીર્થનો માહોલ શિવમય બન્યો છે..
સોમનાથમાં આવનાર બીમાર અસક્ત કે વૃદ્ધ લોકો માટે વિલચેર ઈકાર અને મંદિર ખાતે લિફ્ટની પણ વ્યવસ્થા વિનામૂલ્યે કરાયેલ છે જ્યારે પાર્કિંગ થી સોમનાથ મંદિર સુધી પણ અશક્ત ભાવિકોને વિનામૂલ્ય પહોંચાડવા માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થા કરી છે. તીર્થને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત સફાઈ કર્મીઓની એક ટીમ સતત કામ કરશે, ત્યારે સોમનાથમાં આવનારા ભાવિકોએ કચરો જ્યાં ત્યાં ન નાખવા અને કચરાપેટીનો ખાસ ઉપયોગ કરવા વિનંતી કરાય છે. પોલીસ સિક્યુરિટી વિભાગ સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી અપાયો છે.
સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પણ શિવ વંદના અને ભક્તિ ગીતો ની સુરાવલીઓ સાથે અરબી સમુદ્રનું સંગીત સોમનાથ તીર્થને શિવમય બનાવશે અને અહીં આવનારા ભાવિકો ધન્યતાની અનુભૂતિ કરશે