Home > અન્ય > ધર્મ દર્શન > રામ ભક્તો માટે ખુશીના સમાચાર, જાન્યુઆરીમાં PM નરેન્દ્ર મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન
રામ ભક્તો માટે ખુશીના સમાચાર, જાન્યુઆરીમાં PM નરેન્દ્ર મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન
મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા થવા પર સીએમ યોગી અયોધ્યાની મુલાકાત લીધી છે.
BY Connect Gujarat Desk15 Jun 2023 12:04 PM GMT
X
Connect Gujarat Desk15 Jun 2023 12:04 PM GMT
મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા થવા પર સીએમ યોગી અયોધ્યાની મુલાકાત લીધી છે. ગુરુવારે ભરતકુંડ ખાતે જાહેર સભાને સંબોધતા યોગીએ કહ્યું, "રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. PM નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ દિવસને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવશે. 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે." અયોધ્યાનો મહિમા દુનિયા જોશે." સીએમ યોગીએ કહ્યું, "અગાઉ ગુપ્તાર ઘાટ અને સૂરજ કુંડ જર્જરિત હતા. ગઈકાલે મેં મુલાકાત લીધી હતી. અહીં બાંધકામ કરાવ્યું છે. 3 મહિનાથી કેટલા લોકો ગુપ્તાર ઘાટ પર ગયા છે? 6 વર્ષ પહેલાં તે નિર્જન પડ્યો હતો. હવે જઈને જુઓ કે કેટલો સરસ બની ગયો છે. આ નવી અયોધ્યા છે. અમે અયોધ્યાને વિશ્વનું સૌથી સુંદર શહેર બનાવીશું."
Next Story