પાવાગઢમાં નવરાત્રીમાં માઈ ભક્તોનો છલકાયો સાગર,લાખો ભક્તોએ કર્યા માતાજીના દર્શન

પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા.

New Update
Pawagadh Mahakali Mandir

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી પહેલા નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.ફક્ત નવરાત્રી ના નવ દિવસોમાં જ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા. અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories