પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી પહેલા નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.ફક્ત નવરાત્રી ના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા. અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.