ભરૂચ: દિવાસા નિમિત્તે મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના, મેઘ ઉત્સવની તૈયારી

સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડીનોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં.

New Update
  • ભરૂચમાં મેઘ ઉત્સવની તૈયારી

  • અમાષના દિવસે મેઘરાજાની પ્રતિમાની કરાય સ્થાપના

  • સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું સ્થાપન કરાયું

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરાય

  • સાતમથી દશમ સુધી મેઘઉત્સવ ઉજવાશે

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે.
ભરુચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.છડી નોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે. છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડાપાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી.
મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી દિવાસો એટલે કે અમાસના દિવસે તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે.વર્ષોથી એક જ મુખારવીંદ અને શૈલીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડીનોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં.