/connect-gujarat/media/post_banners/c31e7cb32172240f31b9da4ce17933d97b594ba1f556a74296bad76f0bc9dd4c.webp)
પવિત્ર શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગનાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. 12 મુખ્ય જ્યોતિર્લિંગમાં ભીમાશંકરનું છઠ્ઠુ સ્થાન છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણેથી અંદાજે 110 કિ.મી. દૂર સહ્યાદ્રિ પર્વત પર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જ્યોતિર્લિંગનાં દર્શન માત્ર કરવાથી વ્યક્તિના સમસ્ત દુઃખોથી છુટકારો મળે છે. અહીં ભીમા નદી પણ નીકળે છે. 12 જ્યોતિર્લિંગમાંથી પાંચ તો મહારાષ્ટ્રમાં આવેલાં છે, આશરે 3,250 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.
/connect-gujarat/media/post_attachments/ce77a4be06928c52229c8750ffad933a1353349d58ea3e2be5c0c9b3557736b4.webp)
શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 19થી 21માં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધિત કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં આ જ્યોતિર્લિંગને ‘ભીમાશંકર’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. પુરાણમાં વર્ણિત કથા અનુસાર કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કર્કટી સગર્ભા હતી. તેણે ભીમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાના વધની કથા કહી. આ સાંભળી ભીમા શ્રીરામ જેમના અવતાર હતા એવા શ્રીહરિને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યો. તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. શ્રીહરિ સાથે બદલો લેવા ભીમાએ અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યું. અને પછી તો ભીમાએ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો.
/connect-gujarat/media/post_attachments/6eb41ca58ae6eca329c8f5afcc0cc16cd59f72b6124fff6a0c6942e476e4f63f.webp)
કથા અનુસાર શિવપુરાણમાં એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સૃષ્ટિની રચનાના આધિપત્યને લઈને વિવાદ થયો. તેમની પરીક્ષા કરવા શિવજીએ ત્રણે લોકને ભેદતું એક અંતહીન જ્યોતિર્લિંગ બનાવ્યું. એનો અંત કે સ્રોત શોધવા બ્રહ્મા નીચે તરફ અને વિષ્ણુ ઉપર તરફ ગયા. તેમને આનો છેડો મળી ગયો એમ બ્રહ્માજી અસત્ય બોલ્યા, જ્યારે વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી. શિવજી એક અન્ય સ્તંભ તરીકે પ્રગટ થયા અને તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે કોઈપણ પૂજા-અર્ચના આદિમાં તેમનું કોઈ સ્થાન નહીં રહે, જ્યારે અનંતકાળ સુધી લોકો વિષ્ણુની પૂજા કરશે.
તો આ શ્રાવણ માસ દરમિયાન આ જ્યોતિલિંગના દર્શન અચૂક કરવા જોઈએ.