Connect Gujarat
ધર્મ દર્શન 

નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીને ધરાવો ખીરનો ભોગ, જાણો બનાવવાની રીત...

હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાજીની પુજા કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે

નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીને ધરાવો ખીરનો ભોગ, જાણો બનાવવાની રીત...
X

હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાજીની પુજા કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે અને માતાજીની પૂજા કરે છે. ઉપવાસ દરમિયાન લોકો ફળોનું સેવન કરે છે. લોકો ફળોના ખોરાક તરીકે તમામ પ્રકારની વાનગીઓનો ઉપયોગ કરે છે. નવરાત્રિના શુભ અવસર પર આજે માં ચંદ્રઘંટાને ખીર અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરવામાં આવે છે ત્યારે આજે આપણે નવરાત્રિ નિમિત્તે સ્પેશિયલ ફ્રૂટ સાબુદાણાની ખીર બનાવીશું, તો જુઓ કેવી રીતે બનાવવી….

સાબુદાણાની ખીરની સામ્રગી

સાબુદાણા – 1/4 કપ (50 ગ્રામ)

બદામ – 1 ચમચી, બારીક સમારેલી

કાજુ – 1 ચમચી, બારીક સમારેલા

દ્રાક્ષ- 1 ચમચી

ખાંડ – 1/4 કપ (50 ગ્રામ)

એલચી – 3, બરછટ પીસી

સાબુદાણાની ખીર કેવી રીતે બનાવવી

· સાબુદાણાની ખીર બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈ લો અને થોડી વાર પાણીમાં પલાળી રાખો.

· પછી એક તપેલીમાં ½ લીટર ફુલ ક્રીમ દૂધને વધુ તાપ પર ઉકાળો. જ્યારે તે ઉકળે, આગ ધીમી કરો અને દૂધને હલાવતા રહો.

· આ પછી સાબુદાણાને પાણીમાંથી કાઢીને દૂધમાં નાખો. હવે તેને સતત હલાવતા રહીને 10 મિનિટ સુધી ધીમી તાપ પર પકાવો. 10 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી બદામ, કાજુ અને કિસમિસ ઉમેરો.

· આ બધું મિક્સ કર્યા પછી તેમાં બરછટ પીસેલી એલચી નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તાપ બંધ કરીને તેને બહાર કાઢી લો. તૈયાર છે સાબુદાણાની ખીર.

Next Story