Connect Gujarat
ધર્મ દર્શન 

રંગ પંચમી 2023 : આજે ભગવાનનો તહેવાર, આ ઉપાયોથી દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન

હિંદુ કેલેન્ડર મુજબ, રંગ પંચમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે.

રંગ પંચમી 2023 : આજે ભગવાનનો તહેવાર, આ ઉપાયોથી દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન
X

હિંદુ કેલેન્ડર મુજબ, રંગ પંચમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આજે આ શુભ અવસર પર, દેવતાઓ રંગોના મહાન તહેવાર હોળી રમવા માટે પૃથ્વી પર આવે છે. આ સાથે જ રંગપંચમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ખાસ દિવસે દેવી-દેવતાઓની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે અને તેમના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં રંગપંચમીના તહેવારના સંદર્ભમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ઉપાસકોને લાભ મળે છે અને દેવી લક્ષ્મી તેમના પર પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ રંગ પંચમીના કેટલાક સરળ ઉપાય.

રંગપંચમીના દિવસે કરો આ ઉપાય

  • હિંદુ પંચાંગ અનુસાર આ દિવસે દેવતાઓનો હોળી રમવાનો સમય સવારે 09.39 થી બપોરે 12.36 સુધીનો છે. આવી સ્થિતિમાં આ ગાળામાં આસમાને અબીર-ગુલાલ અને ફૂલો ઉડાડવાની પરંપરા છે. આમ કરવાથી ભક્તોને લાભ થાય છે અને દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે.
  • શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રંગપંચમીના દિવસે પૂજાનો પ્રભાવ વધે છે. આવી સ્થિતિમાં આ દિવસે ભગવાનની પૂજા કરો અને આસ્માનમાં રંગો અને ફૂલ ફેલાવો, માન્યતા અનુસાર આમ કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજે કનકધર સ્તોત્ર અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આ સાથે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે અને સાધકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Next Story