મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય...

એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો.

New Update
મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય...

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ડેમની પાછળના ભાગે આવેલું નદીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જોકે આ મંદિરની વિશેષતા એ છે કે, ફક્ત ડેમમાં પાણીના સ્તર ઘટતા ડૂબાણમાં ગયેલું શિવાલય ભક્તોને દર્શન આપવા બહાર આવે છે.

મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટીમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે. મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ પાણીનો નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે, ત્યારે જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં જળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે. તો બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં 850 વર્ષ જૂનં્ નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુંબાણમાં ગયું હતું. જોકે, ચાલુ વર્ષે ડેમની જળ સપાટી નીચી જતા મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો. જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા. પરંતુ ડેમના નિર્માણ બાદ ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં જતાં 850 વર્ષ પુરાણું ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. પરંતુ ફરી એકવાર આ વર્ષે કડાણા ડેમના પાણી સ્તર નીચે જતાં મંદિરના દ્વાર ખૂલ્યા છે, ત્યારે હાલ તો દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની હોડી મારફતે નદીનાથ મહાદેવ મંદિરે પહોચી અલૌકિક શિવાલય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Read the Next Article

ભૂસ્ખલનના ભય વચ્ચે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી, જવાનું વિચારતા હોવ તો આટલું જાણી લો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય.

New Update
Kedarnath yatra2025

કેદારનાથ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય. વાસ્તવમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે બાદમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) દ્વારા સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. 

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં, બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની હતી. ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ માટે ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે 7 અને 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.


કેદારનાથ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરની હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયના ખોળામાં 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.