Connect Gujarat
ધર્મ દર્શન 

ફેંગશુઈ મુજબ લાફિંગ બુદ્ધા કોણ છે અને તેને કેમ શુભ માનવમાં આવે છે? જાણો

ફેંગશુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે.

ફેંગશુઈ મુજબ લાફિંગ બુદ્ધા કોણ છે અને તેને કેમ શુભ માનવમાં આવે છે? જાણો
X

ફેંગશુઇના સિદ્ધાંતો ઘણા પરિવારોમાં અનુસરવામાં આવે છે. તમે ઘણા લોકોને તેમના ઘર અને ઓફિસ ડેસ્ક પર લાફિંગ બુદ્ધા રાખતા જોયા હશે. ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે. તો ચાલો જાણીએ લાફિંગ બુદ્ધાને રાખવાની શુભ યોગ્ય જગ્યા.

લાફિંગ બુદ્ધા કોણ છે?

માન્યતાઓ અનુસાર, જાપાનના હોતેઈ મહાત્મા બુદ્ધના શિષ્યોમાંના એક હતા. જ્યારે તેને બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તે જોરથી હસવા લાગ્યા. આ પછી તેણે લોકોને હસાવવા અને ખુશ કરવાને તેના જીવનનું લક્ષ્ય બનાવ્યું. આ રીતે તેઓ લાફિંગ બુદ્ધા તરીકે ઓળખાયા.

સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે :-

ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધની પ્રતિમાને મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે રાખવી શુભ માનવામાં આવે છે. આને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ પ્રતિમાને મુખ્ય દરવાજા પર એવી રીતે લગાવો કે દરવાજો ખોલતાની સાથે જ સૌથી પહેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ દેખાય. આ રીતે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પ્રતિમા આવી હોવી જોઈએ :-

ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે પ્રતિમાની ઉંચાઈ 30 ઈંચથી વધુ અને સાડા 32 ઈંચથી ઓછી હોવી જોઈએ. ફેંગશુઈ શાસ્ત્રો અનુસાર, લાફિંગ બુદ્ધાની મૂર્તિમાં ઓછામાં ઓછી આઠ આંગળીઓ હોવી જોઈએ. આનાથી મોટી કે નાની મૂર્તિ શુભ માનવામાં આવતી ન હતી.

Next Story