/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/03092321/hR7d3W5T-copy.jpg)
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીને માહિલાઓ માટે સુરીક્ષિત બનાવવા સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે મદદ માંગી. ન્યાયતંત્ર વિશે કેજરીવાલે કહ્યું કે, બળાત્કારના ઘણા કેસો બાકી છે અને આવા કેસોમાં ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી છે. તેમણે બળાત્કારના આરોપીઓને છ મહિનાની અંદર ફાંસીની સજાની માંગ કરી હતી. મહિલા સલામતીના મુદ્દે દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વિશે વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનાવવા માટે શાળાઓમાં અભ્યાસક્રમો શરૂ કરવાની જરૂર છે કે કેમ?
તિરસ્કારના કેસમાં
કેજરીવાલને 13 ડિસેમ્બર પહેલા કોર્ટમાં હાજર થવાનો હુકમ
કેજરીવાલે કહ્યું કે, અમને તમારા (શાહ) સહયોગ અને
સહાયની જરૂર છે. આપણે એકઠા થઈને દિલ્હીને સુરક્ષિત સ્થાન બનાવવું જોઈએ. ”મુખ્યમંત્રીએ કહ્યું કે
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધી ગયા છે. તેમણે કહ્યું કે આ મુદ્દે રાજકારણ ન થવું
જોઈએ. પછી ભલે તે દિલ્હી સરકાર હોય, કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર, દરેકએ પોતાની જવાબદારી
નિભાવવી જોઈએ.