-
પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર કરાયું આયોજન
-
વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનારનું કરાયું હતું આયોજન
-
તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આયોજન
-
સેમિનારમાં તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
-
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓની ઉપસ્થિતી રહી
સુરેન્દ્રનગર શહેરમાં પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સેમિનાર-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં સૌપ્રથમવાર પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સેમિનાર-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 112 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં 63 વિદ્યાર્થીઓ અને 89 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે નોટબુક તેમજ પેનનું વિતરણ કરાયું હતું. પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિત વાલીઓને તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.