ભરૂચ : બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં ન આવતા વિવાદ છંછેડાયો

બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો

New Update
  • બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં સર્જાયો વિવાદ

  • વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ

  • સ્કૂલમાં ઓછી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી

  • વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા વાલીઓમાં રોષ

  • જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો   

ભરૂચની બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી રહી છે,જોકે ભરૂચની બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.

શાળામાં અનિયમિત આવતા અને ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી નહતી,જેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ છંછેડાયો હતો,જોકે ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલને કરવામાં આવતા તેઓએ બી.ઈ.એસ.સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા,અને તેમની મધ્યસ્થી બાદ સ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી હતી,અને મામલો થાળે પડ્યો હતો.આ તબક્કે જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં મોકલવા માટે વાલીઓને પણ અપીલ કરી હતી.

Read the Next Article

જાણો નિવૃત્ત શિક્ષકોની ભરતી અંગે મોટી અપડેટ, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
WhatsApp Image 2025-07-28 at 1.06.07 PM

સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીને લઈ વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો.

આ પરિપત્ર બાદ નિવૃત શિક્ષકોમાં વિરોધ થવા પામ્યો હતો. સરકાર દ્વારા કરેલ પરિપત્રમાં ટેટ-ટાટાના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર કરાયો હતો.

ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા નિવૃત શિક્ષકોની ભરતી થશે. મહત્વનું છે કે, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ઘટ હોવાની વચ્ચે હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. અગામી સમયમાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નિવૃત શિક્ષકોની ભરતી થશે.નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.

Education | Education Department | retired teachers | Recruitment