ભરૂચ : UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે દીકરીને સન્માનિત કરાતાં શર્મા પરિવારમાં ખુશીનો માહોલ...

રીયા શર્માને ઉપસ્થિત UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતી

New Update

અંકલેશ્વરAIA હોલ ખાતેUPL યુનિ.નો દીક્ષાંત સમારોહ

સમારોહમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી

ભરૂચની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાય

UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે સન્માનિત કરાય

પોતાની દીકરીનું સન્માન થતાં પરિવારમાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરAIA હોલ ખાતેUPL યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવ મળી રહ્યો છે.

જૂન 2021માં સ્થપાયેલીUPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી પ્રતિબદ્ધતાની દીવાદાંડી તરીકે ઉભી છેઅને રાસાયણિક ટેકનોલોજીપર્યાવરણીય વિજ્ઞાન અને સસ્ટેનેબલ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે. અંકલેશ્વર સ્થિતAIA હોલ ખાતેUPL યુનિવર્સીટી દ્વારા સેકન્ડ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર જ્યોતિનગર નજીક રહેતી શર્મા પરિવારની દીકરી રીયા શર્માને પણ માસ્ટર ઓફ એનવાયરમેન્ટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. પોતાની દીકરીને પણ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા શર્મા પરિવારમાં ખુશીનો માહોલ જોવ મળી રહ્યો છે.

રીયા શર્માને ઉપસ્થિતUPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતીઅને હાલમાં યુનિવર્સિટીમાં તેમના સંશોધન કરી રહેલા 70થી વધુ પીએચડી સંશોધનકારોના યોગદાનની નોંધ લેવામાં આવી હતી.

આયોજીત કાર્યક્રમમાંUPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફજીઆરપી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર ગાંધી અનેUPL યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણીરોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે તેમજ ગવર્નિંગ બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.