ભરૂચ: બોર્ડની પરીક્ષાની સમાંતર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીની ચકાસણી શરૂ, કુલ 13 મુલ્યાંકન કેન્દ્રો ફળવાયા

ભરૂચ જિલ્લામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
  • ભરૂચમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ

  • 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણતાના આરે

  • ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરાય

  • 12 મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ફાળવાયા

  • વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળે એવા પ્રયાસ 

Advertisment
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી.
ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે.
આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
Advertisment
Read the Next Article

સુરત : JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર,દેશના ટોપ 20માં આગમ શાહે મેળવ્યું સ્થાન

જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ (JEE) એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં સુરતના આગમ શાહે 17મો ક્રમાંક પ્રાપ્ત કરીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

New Update
  • JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર

  • સુરતના વિદ્યાર્થીએ દેશમાં વગાડ્યો ડંકો

  • ટોપ 20માં વિદ્યાર્થી આગમ શાહે મેળવ્યું સ્થાન

  • સુરતમાં આગમ શાહે 17મો ક્રમાંક મેળવ્યો

  • 360 માંથી 311 માર્ક મેળવીને પ્રાપ્ત કરી સફળતા 

Advertisment

જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ (JEE) એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં સુરતના આગમ શાહે 17મો ક્રમાંક પ્રાપ્ત કરીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે કલ્પ શાહએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે મહત્વની ગણાતી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ઓલ ઇન્ડિયા ટોપ 100માં સુરતના બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.જેમાં દેશના ટોપ 20માં આગમ શાહે 17મો ક્રમાંક મેળવ્યો હતો.અને સુરત શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આગમ શાહે 360 માંથી 311 માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા.જ્યારે કલ્પ શાહે 360 માંથી 284 માર્ક્સ મેળવીને દેશમાં 86મો ક્રમાંક પ્રાપ્ત કરીને સુરત શહેરમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો. 

Advertisment