ભરૂચ: બોર્ડની પરીક્ષાની સમાંતર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીની ચકાસણી શરૂ, કુલ 13 મુલ્યાંકન કેન્દ્રો ફળવાયા

ભરૂચ જિલ્લામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
  • ભરૂચમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ

  • 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણતાના આરે

  • ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરાય

  • 12 મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ફાળવાયા

  • વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળે એવા પ્રયાસ 

ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી.
ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે.
આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વિટીસી ગર્લ્સ હાઈસ્કૂલમાં સન્માન સમારોહ યોજાયો

વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું

New Update
VTC Girls High School
ભરૂચમાં વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પુરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રઘુ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.