/connect-gujarat/media/media_files/2025/07/28/education-2025-07-28-13-07-43.jpeg)
સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીને લઈ વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો.
આ પરિપત્ર બાદ નિવૃત શિક્ષકોમાં વિરોધ થવા પામ્યો હતો. સરકાર દ્વારા કરેલ પરિપત્રમાં ટેટ-ટાટાના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર કરાયો હતો.
ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા નિવૃત શિક્ષકોની ભરતી થશે. મહત્વનું છે કે, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર ભરતી થશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ઘટ હોવાની વચ્ચે હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. અગામી સમયમાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નિવૃત શિક્ષકોની ભરતી થશે.નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.
Education | Education Department | retired teachers | Recruitment