અંકલેશ્વર : CM Academyની મનમાની, વાલીઓનો આક્ષેપ 'અહિયાં બાળકોને ભણાવતા નહિ..

ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..

New Update
અંકલેશ્વર : CM Academyની મનમાની, વાલીઓનો આક્ષેપ 'અહિયાં બાળકોને ભણાવતા નહિ..

અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત ચંદરબાલા મોદી એકેડમી દ્વારા વિદ્યાર્થીઓની ફીને મુદ્દે વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.અંકલેશ્વર શહેરની વાલિયા રોડ પર આવેલ ચંદરબાલા મોદી એકેડમી પરેશાન કરી રહી હોવાનાં વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. માતપિતા પોતાના બાળકોને શ્રેષ્ઠ જ્ઞાન આપવા માંગતા હોય છે ત્યારે શાળા મેનેજમેંટ પોતાની મનમાની ચલાવી વિધાર્થીઓ સહિત તેમના માતા પિતાને હેરાન પરેશાન કરતાં હોય છે.

આજરોજ શાળા મેનેજમેન્ટ દ્વારા વાલીઓને મિટિંગનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં શાળા તંત્ર દ્વારા વાલીઓને પ્રવેશ ન આપી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ ઘણો વકર્યો હતો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળા તંત્ર દ્વારા બાળકોની મસમોટી ફીની વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા પોતાની મનમાની કરી ખોટા ઉદાહરણો આપી વાલીઓને પરેશાન કરવામાં આવ્યા હતા ત્યારે વાલીઓએ આક્રોશમાં આ વિશે PIને જાણ કરી હતી અને PI ઘટના સ્થળે દોડી આવતા શાળા દ્વારા મીટીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વાલીઓનો આક્ષેપ છે કે શાળા તંત્ર દ્વારા મસમોટી ફી સામે યોગ્ય સવલતો આપવામાં આવી રહી નથી ત્યારે શાળા તત્ર વળતો જવાબ આપી રહ્યાં છે. ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.

Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.

Latest Stories