ગીર સોમનાથ : બાળક અક્ષર સારા કરતો ન હોવાથી વેરાવળની શાળાના આચાર્યએ ઢીબેડી નાંખ્યો, વાલીઓમાં રોષ...
લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે આચાર્ય રામ કામળિયાએ સામાન્ય બાબતે માસૂમ બાળકને ઢોરમાર માર્યો હતો.
BY Connect Gujarat Desk27 Feb 2023 1:12 PM GMT
X
Connect Gujarat Desk27 Feb 2023 1:12 PM GMT
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં ભીડિયા વિસ્તારની સ્વામિનારાયણ વલ્લભ સંસ્કાર કેન્દ્ર સંચાલિત ખાનગી શાળાના આચાર્યએ ધોરણ-3માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. શાળામાં અભ્યાસ કરતો 8 વર્ષીય માસૂમ વિદ્યાર્થી પોતાના ક્લાસ રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો, જેને લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે આચાર્ય રામ કામળિયાએ સામાન્ય બાબતે માસૂમ બાળકને ઢોરમાર માર્યો હતો.
એટલું જ નહીં, વિદ્યાર્થીને માર મારતાં શરીરમાં પીઠના ભાગે માર વાગવાના નિશાન ઊભરી આવ્યા હતા, ત્યારે ઘટનાને પગલે પીડિત વિદ્યાર્થીના વાલીએ શાળામાંથી લિવિંગ સર્ટી કઢાવી લીધું હતું. આવી ગંભીર ઘટના બની હોવા છતાં શિક્ષણ વિભાગથી ઘટના છુપાવાઈ રહી હોય, જેથી આ બાબતે ગંભીરતાથી જવાબદાર આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Next Story