હવે, રાજ્યમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને મળશે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ, સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો...

RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

New Update
RTE Student

રાજ્યમાંRTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં મધ્યમ વર્ગને લાભ આપવા માટે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો હતો. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંRTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેની આવક મર્યાદામાં રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 6 લાખ સુધી કરવામાં આવી છેત્યારે હવે વાલીઓ માટે વધુ એક ખુશખબર આવી છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદસ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાંRTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે.

RTE Rules

RTE એક્ટ-2009 મુજબ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતRTE રૂલ્સ-2012 નિયમ-5(5) મુજબ જ્યાં ઘરથી પ્રાથમિક શાળાનું અંતર 1 (એક) કિ.મી.થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર 3 (ત્રણ) કિ.મી.થી વધુ હોય તેવા રુટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ બાલવાટિકાના વિદ્યાર્થીનું શાળાનું અંતર 1 (એક) કિ.મી.થી વધુ હોય તેમને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળવાપાત્ર છે. આ સુવિધાના લાભ માટે ભારત સરકાર દ્વારા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત રાજ્ય સરકારની (GOG)ને પણ વર્ષ 2025ની બજેટ માટેની વહીવટી મંજૂરી મળી છે. જે અન્વયે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો અમલ નીચે કરવા જિલ્લા અને કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2025-26માં ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત નાણાંકીય જોગવાઈની મર્યાદામાં ગાઈડલાઈન મુજબ મફત પરિવહન સુવિધાનો અમલ કરવા માટે સંલગ્ન તમામને જરૂરી સૂચના પાઠવવા તેમજ આ અંગે નિયમિત રીવ્યુ કરવા માટે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.

New Update
RS Dalal Highschool
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે. આ તમામ ઉમેદવારોને આજરોજ  આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે  શિક્ષણાધિકારી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા.સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી