Reels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર

PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી

New Update
Reels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં લેતાં દેશભરનાં બાળકોની સાથે પરીક્ષા પે ચર્ચાનાં 7માં સંસ્કરરણ દરમિયાન વાતચીત કરી. આ દરમિયાન PM મોદીએ બાળકોને સ્ટ્રેસથી બચવા અને પરીક્ષા દરમિયાન થનારા તણાવનો સામનો કરવા માટે ગુરુમંત્ર આપ્યાં

PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપતાં કહ્યું કે કોઈપણ ચીજનું 'અતિ' ખરાબ હોય છે. તમે સતત રીલ જુઓ છો અને સમય ક્યારે નિકળી જાય છે એ તમને ખબર પણ નથી પડતી. માં-બાપને પણ લાગે છે બાળક મોબાઈલ સાથે ચોંટેલો છે. તેવામાં બાળકોએ પોતાની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. આ સાથેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને સ્ક્રીન ટાઈમર ઓન કરવાની સલાહ આપી જેથી તેઓ પોતાને પણ એ વાતની અનુભૂતિ થાય કે હવે બસ કરવું જોઈએ...PM મોદીએ રીલ્સનાં નુક્સાન ગણાવતાં કહ્યું કે વધુ રીલ્સ જોવાથી ન માત્ર સમય બરબાદ થાય છે પણ ઊંઘ પણ પૂરી નથી થાતી અને જે વાચ્યું છે તે યાદ પણ નથી રહેતું.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપેલ મોદી મંત્ર સાંભળો :-

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.